Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહન અડફેટે આવતાં રાહદારીનું મોત

  • August 09, 2023 

ભરૂચથી વાલિયાથી અંક્લેશ્વર જવાના રોડ પર ગુજરાત ગાર્ડિયન કંપનીની સામે એક શખ્સ રસ્તો ઓળંગી રહ્યો હતો. તે સમયે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતાં તેને ગંભીર હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાલિયા તાલુકામાં આવેલા કોંઢ ગામે રેહતો વિનય બીજલ વસાવા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. તે વેળાં જાણ થઇ હતી કે, ગુજરાત ગાર્ડિયન કંપની પાસે અકસ્માત થયું છે. જેથી તેઓ તુરંત સ્થળ પર દોડી આવતાં તેમણે 108ની મદદથી તેમને સારવાર અર્થે ખસેડવાની કવાયત હાથ ધરી હતી. પ્રાથમિક પુછપરછમાં તેણે તેનું નામ અબ્દુલ રાસીદ (રહે.ખાનપુર દરવાજા, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. જોકે યુવકને 108માં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું સારવાર વેળાં મોત થયું હતું. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application