Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદનાં એક શખ્સે ગેસ્ટ હાઉસમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો

  • June 06, 2022 

ભરૂચના રેલવે સ્ટેશન પાસે આવેલાં સન્માન ગેસ્ટ હાઉસના એક રૂમમાં ભાડેથી રોકાયેલાં અમદાવાદના એક શખ્સે મોડે સુધી દરવાજો ન ખોલતાં ગેસ્ટ હાઉસનાં સંચાલકે દરવાજો તોડાવી અંદર પ્રવેશતાં તેમણે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. મૃતકે જાતે જ આપઘાત કર્યો હોવાની આંત્યેતિક ચિઠ્ઠી લખી હતી. બનાવની વિગત એવી છે કે, અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલાં જનતા નગર ખાતે રહેતા ભગવાન રમાકાન્ત ચૌધરી નાએ શુક્રવારે ભરૂચ ખાતે આવ્યાં હતાં. તેમણે તેમણે રેલવે સ્ટેશન પાસે જ આવેલાં સન્માન ગેસ્ટ હાઉસમાં એક રૂમ ભાડે રાખ્યો હતો.



જોકે, ગત તા.3જી જૂનની રાત્રીના 11 વાગ્યેથી તેમણે રૂમ બુક કરાવ્યાં બાદ બીજા દિવસે 4 જૂના રોજ સાંજ સુધી તેમણે દરવાજો પણ ખોલ્યો ન હતો અને બહાર પણ આવ્યાં ન હતાં. જેના પગલે ગેસ્ટ હાઉસ સંચાલકોએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઇ અવાજ નહીં આવતાં કાંઇક અજૂગતું થયું હોવાની શક્યતાઓ વચ્ચે તેમણે દરવાજો ધક્કો મારી તોડીને ખોલી અંદર પ્રવેશ્યાં હતાં.



અંદરના દ્રશ્ય જોઇ તેઓ ડઘાઇ ગયાં હતાં. ભગવાન ચૌધરીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તેમણે તુરંત ભરૂચ પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર દોડી આવી તપાસ કરતાં પોલીસને તેમની આંત્યેતિક ચિઠ્ઠી મળી હતી. જેમાં તેમણે જાતે જ આપઘાત કર્યો હોવાનું લખ્યું હતું. બનાવને પગલે એ ડિવિઝન પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application