Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાણીનાં ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર ખેંચાઈ જતાં 5 લોકો તણાયા : 4 લોકોને બચાવાયા, 1ની શોધખોળ શરૂ

  • July 14, 2022 

અંકલેશ્વરમાં પડેલા મુશળધાર વરસાદનાં કારણે અંકલેશ્વર તાલુકાનાં પીલુદ્રા ગામમાંથી પસાર થતી વનખાડીનાં પાણીનાં પ્રવાહથી છેલ્લા બે દિવસથી માર્ગો બંધ થઇ જવા પામ્યા છે. જેના કારણે વનખાડીનું પાણી નાના પુલ પરથી પસાર થઇ રહ્યું છે. ત્યારે આજરોજ પીલુદરા ગામનાં રહીશ અને અન્ય સભ્યો ટ્રેકટર લઇ નાના પુલ પરથી ગામમાં આવી રહ્યા હતા.




તે સમયે વનખાડીનાં પાણીનાં ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર ખેંચાઈ જવા પામ્યું હતું. જયારે ટ્રેક્ટરમાં સવાર 5 લોકો પણ ટ્રેક્ટર સાથે તણાવા લાગ્યા હતા. જોકે તે દરમિયાન નજીકમાં રહેલા ગ્રામજનોએ તાત્કાલિક દોડી આવીને પાણી પ્રવાહમાં ખેંચાઈ રહેલા 5 લોકો પૈકી 4 લોકોને બચાવી લીધાં હતાં. પરંતુ એક જણ પાણીમાં ખેંચાઈ જતાં હજી સુધી ભાળ મળી નથી. ઘટના અંગેની જાણ થતાં જ અંકલેશ્વર ધારાસભ્ય સાથે NDRFની ટીમ સ્થળ પર દોડી આવી ગુમ વ્યક્તિની શોધખોળ આરંભી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application