Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ-સુરત નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો, બારડોલીનાં ચાર લોકોનાં મોત

  • January 31, 2023 

મુંબઈ સુરત નેશનલ હાઈવે પર કારમાં જઈ રહેલા NRI પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં કારમાં સવાર 4 લોકોનાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ પરિવાર દક્ષિણ ગુજરાતનાં બારડોલીનો વતની હતો. જોકે મંગળવારે વહેલી સવારે આ ઘટના બની હતી. સુરત-મુંબઇ નેશનલ હાઈવે પર મહારાષ્ટ્રનાં ચારોટી જંકશન નજીક કાસા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ કાર અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર સર્જાઈ હતી. જેમાં કારમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યા હતા.




અકસ્માતના પગલે સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં આવી ગયા હતા. કારમાં ત્રણ પુરુષો અને એક મહિલા સવાર હતા. તેમજ કારનો પણ કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારમાંથી ચાર લોકોના મૃતદેહો ક્ષતવિક્ષત હાલતમાં બહાર કાઢવામા આવ્યા હતા. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, ચાર લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. અકસ્માતની તપાસ કરતા જાણવા મળ્યું કે, લંડન વસતો NRI પરિવાર તાજેતરમાં પોતાના વતન બારડોલીમા આવ્યો હતો. ત્યારે આ પરિવાર લંડન પરત જવા નીકળ્યો હતો. NRI ઇબ્રાહિમ દાઉદ અને આશિયા કલેક્ટર બારડોલીમાં પરિવારને મળીને લંડન પરત જઈ રહ્યા હતા.



તેમને તેમના સંબંધી ઇસ્માઇલ મહંમદ દેસાઈ અને મહંમદ સલામ હાફેજી સ્કોડા કારમાં બાય રોડ મુંબઈ એરપોર્ટ મુકવા જઈ રહ્યા હતા. જયારે મળસ્કે ચાર વાગ્યે સુરત-મુંબઇ નેશનલ હાઈવે પર મહારાષ્ટ્રનાં ચારોટી જંકશન નજીક કાસા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. ચારેય મૃતદેહોને બારડોલી લાવવાની કામગીરી હાથ ધરવામા આવી છે. આ ઘટનાથી બારડોલીમાં માતમ છવાયો છે. સમાચારને પગલે બારડોલીનાં વ્હોરવાડ વિસ્તારમાં સગાંસબંધીઓ સહિત મુસ્લિમ સમાજના લોકો દોડી આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application