Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર નેશનલ હાઇવે પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાતાં ૧૫ મુસાફરો ઘાયલ થયા

  • December 09, 2024 

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર હાઇવે પર સતત અકસ્માતોની ઘટના વધતી જાય છે. અંકલેશ્વર નેશનલ હાઇવે લોહિયાળ બની ગયો છે. ત્યારે ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. હાઇવે અર આવેલા અમલાખાડી બ્રિજ પર એક ખાનગી બસ અને સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી મારી ગઇ હતી, જ્યારે સરકારી બસ ખાડામાં ઉતરી ગઇ હતી.


આ અકસ્માત 15 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અંકલેશ્વર હાઇવે પર અન્ય એક અકસ્માતમાં અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક પર સવાર મહિલાની નીચે પટકાતાં મહિલા પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. જેના લીધે તેને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે બાઇક સવાર ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે આસપાસમાંથી સ્થાનિક લોકોનું ટોળું દોડી આવ્યું હતું અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application