Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરથાણા વનમાળી જંકશન પાસે બાઇકની ટક્કરે યુવકનું મોત નિપજ્યું

  • August 25, 2024 

સુરતના સરથાણા વનમાળી જંકશન પાસે શુક્રવારે સાંજે બાઇકે ટક્કર મારતા યુવક રત્નકલાકારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ હતુ. જયારે બાઇક ચાલકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સ્મીમેર અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, કામરેજમાં જોખાગામમાં શ્રી શુભ રેસીડન્સીમાં રહેતો ૩૦ વર્ષીય જયદીપ અરવિંદ પટેલ શુક્રવારે સાંજે સરથાણા ખાતે કાર સર્વિસમાં મુકવા ગયા હતા.


ત્યાંથી કામ અર્થે બસમાં જવા માટે પગપાળા સરથાણા વનમાળી જંકશન બી.આર.ટી.એસ રોડ ક્રોસ કરતો હતો. તે સમયે તેને સ્પાર્ટસ બાઇક ચાલક રોહિત ચંદુ રાઠોડ (રહે. સારોલીગામ)એ તેને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા પામેલા જયદીપ અને બાઇક ચાકલ રોહિને પણ ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન જયદીપનું મોત નીંપજયું હતું. જયારે રોહિતને સારવાર માટે વોર્ડમાં દાખલ કર્યો છે. જયારે જયદીપ મુળ અમદાવાદના વિરમગામનો વતની હતો. તે રત્નકલાકારનું કામ કરતો હતો. તેનો એક ભાઇ છે. અકસ્માત અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News