Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડનાં અંજલાવ ગામે ખેતરમાં યુવકને કરંટ લાગતાં મોત નિપજ્યું

  • September 09, 2024 

વલસાડનાં અંજલાવ ગામે વીજતાર તૂટી પડ્યો હોવાની બાબતથી અજાણ ૨૮ વર્ષીય યુવાન તેના ખેતરમાં કામ કરવા માટે ગયો હતો તે દરમિયાન યુવાનનો સંપર્ક તે તૂટી પડેલા વીજતાર સાથે થતાં તેને જોરદાર કરંટ લાગ્યો હતો. ત્યારબાદ તેનું મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અંજલાવ ગામનાં ચાર રસ્તા પાસે રહેતા ક્રિષ્નરાજ દિલીપભાઈ પટેલ (ઉ.વ.૨૮) ખેતી કરી ગુજરાન ચલાવતો હતો. ક્રિષ્નરાજ રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે ખેતરમાં કામ કરવા માટે ગયો હતો. ખેતર પાસે વીજ લાઈનનો એક વાયર તૂટી પડયો હતો. જે બાબતથી અજાણ ક્રિષ્નરાજ અકસ્માતે વીજ તારના સંપર્કમાં આવતા તેને કરંટ લાગ્યો હતો. આ સાથે જ તે સ્થળ પર બેભાન થઈ ગયો હતો. સ્થળ પર દોડી આવેલા સ્થાનિક રહીશોએ ઘટનાની જાણ મૃતકના પરિજનોને કરી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે પારનેરા સ્થિત હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે ક્રિષ્નારાજને મૃત જાહેર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News