Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કલોલની કંપનીમાં કામ કરતા કામદારનું કરંટ લાગતા મોત નીપજ્યું

  • June 16, 2024 

ગાંધીનગરનાં કલોલ જીઆઇડીસીમાં આવેલ ધીરજ એન્જિનિયરિંગ વર્ક નામની કંપનીમાં કામ કરતા કામદારનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું બનાવને પગલે પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો યુવક ને કલોલની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં દોડી આવેલા પરિવારજનોએ કંપની સામે ગંભીર આક્ષેપો કરી ભારે હોબાળો કર્યો હતો અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.


મળતી વિગતો અનુસાર કલોલ જીઆઇડીસીમાં આવેલા ધીરજ એન્જિનિયરિંગ વર્ક નામની કંપનીમાં કામ કરતો કામદાર કરણભાઈ અર્જુનભાઈ સલાટ નિત્યક્રમ મુજબ કામ કરતો હતો ત્યારે તેને કરંટ લાગ્યો હતો જેથી તેને કલોલની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો બનાવની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી જેના પગલે તેના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને ભારે કલ્પાંત કરી મૂક્યું હતું? ચાર દીકરીઓના પિતાના મોતથી પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો અને પરિવાર નોંધારો બન્યો હતો પરિવારજનોએ કંપની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા તેમજ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આક્રોશભેર માંગણી કરી હતી બનાવાની પોલીસે જરૂરી નોંધ કરીને તપાસ ચલાવી હતી.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application