Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં કાટગઢ ગામે મંદિર માંથી ચોરી થતાં ત્રણ અજાણ્યા ચોર સામે પોલીસ ફરિયાદ કરાઈ

  • August 13, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કાટગઢ ગામની સીમમાં આવેલ મંદિર માંથી ત્રણ અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થતાં પોલીસે ફરિયાદ નોંધવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં કાટગઢ ગામની સીમમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાંથી ગત તા.08/08/2023નાં રોજ ત્રણ અજાણ્યા ચોર ઈસમે એકબીજાની મદદથી મંદિરનાં દરવાજાનાં નાચુકાનાં હુકને કોઈ લોખંડ જેવા સાધન વડે તોડી નાખી મંદિરની અંદર પ્રવેશ કરી મંદિરમાંની દાનપેટીને તોડી તેમાંથી આશરે રોકડ રૂપિયા 6,000/- તથા બીજા રૂમમાંથી કેમેરા મુકવાનું જકંશન જેની કિંમત રૂપિયા 2,500/- મળી કુલ રૂપિયા 8,500/-ની ચોરી કરી ત્રણેય અજાણ્યા ચોરી ઈસમ ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે તારીખ 11/08/2023નાં રોજ જયેશભાઈ ગાંધીની ફરિયાદનાં આધારે કાકરાપાર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News