Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં તીતવા ગામે સર્જાયેલ અકસ્માતમાં આધેડનું મોત નિપજ્યું

  • August 02, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં તીતવા ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર-૫૩ના વ્યારાથી બારડોલી તરફ જતાં બાજીપુરા સુમુલ દાણ ફેકટરી તરફ બ્રીજના ઢાળ ઉપર તારીખ ૨૮/૦૭/૨૦૨૪ના રોજ અજાણ્યા વાહન અડફેટે આવતાં આધેડનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, વાલોડનાં તીતવા ગામનાં જય સિધ્ધિવિનાયક પેટ્રોલીયમ ઇન્ડેન પેટ્રોલ પંપ પાસે રહેતા ગુલાબસિંગભાઈ છત્રસિંગભાઈ ગિરાસે (ઉ.વ.૭૪., મૂળ રહે.દાઉળ ગામ, તા.સિંદખેડા, જિ.ધુલીયા, મહારાષ્ટ્ર)નાઓ રસ્તાથી અજાણ હોવાના કારણે નેશનલ હાઇવે નંબર-૫૩ બાજીપુરા સુમુલ દાણ ફેકટરી તરફ બ્રીજના ઢાળ ઉપર ચઢી ગયેલ અને સાઇડમાં ચાલતા ચાલતા જતા હતા. તે દરમિયાન વ્યારા તરફથી આવતા કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ગુલાબસિંગભાઈ ગિરાસે નાઓને અડફેટે લઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ગુલાબસિંગભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર હેમંતભાઈ ગુલાબસિંગભાઈ ગિરાસેએ વાલોડ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application