Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી બાળકીનું ચાંદીપુરા વાયરસનાં કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું

  • July 20, 2024 

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી બાળકીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જેના લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ગોત્રી વિસ્તારમાં દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે. વડોદરાના ગોત્રી મહીનગર વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીની 17મી જુલાઈએ તબિયત બગડી હતી. ઝાડા ઉલ્ટી અને તાવની પ્રાથમિક સારવાર લીધી હતી. પરંતુ ચાંદીપુરા વાયરસના લક્ષણો હોવાથી બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીના સેમ્પલ રિપોર્ટ માટે મોકલ્યા હતા.પરંતુ રિપોર્ટ આવે તે પહેલા જ બાળકીનું આજે સવારે મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુર વાયરસના સાત બાળકો હાલમાં સારવાર હેઠળ છે. જેમાંથી 5 બાળકો આઈસીયુમાં છે. જોકે, અત્યારે સુધી કુલ 6 બાળકોનાં મૃત્યુ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News