Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપડવંજમાં પરિણીતા અને યુવકે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી

  • September 16, 2024 

કપડવંજનાં વેણીપુરા પાસે આવેલી કેનાલમાં વડથલની પરિણીતા અને સાઢેલીના યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવી આપઘાત કરી લીધો છે. ત્યારે પોલીસે હાલ એડી દાખલ કરી તપાસ શરૂ કરી હતી.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહુધા તાલુકાના વડથલ ગામે રહેતી પરિણીતા રૂપલબેન જૈમિનભાઈ (ઉ.વ.૨૨) તથા ઠાસરા તાલુકાના સાઢેલી હનુમાનજીવાળા ફળિયામાં રહેતા અજીતભાઈ જશુભાઈ સોલંકી (ઉ.વ.૨૨)એ રવિવારે સવારે ૯.૩૦ કલાકે કપડવંજના વેણીપુરા પાસે નર્મદા કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતા આસપાસથી ટોળા ઉમટયા હતા. તરવૈયાઓએ કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. ત્યારે બંને મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલી કપડવંજ ટાઉન પોલીસે એડી દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી. વડથલ ગામની પરિણીતાને બે વર્ષની એક દીકરી હોવાનું પણ જાણવા મળ્યું છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application