Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં કનાળા ગામનો સગીર ગુમ થયાની ફરિયાદ ઉકાઈ પોલીસે મથકે નોંધાઈ

  • December 07, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ તાલુકાનાં કનાળા ગામનાં પૂર્વ ફળિયામાં રહેતા દલપતભાઈ વસંતભાઈ ગામીત નાંએ તારીખ 05/12/2023નાં રોજ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખ 03/12/2023નાં મોડી સાંજે યોગેશ (ઉ.વ.15 વર્ષ 8 દિવસ) જે ઉકાઈ ખાતે આવેલ જીવન સાધના વિધાલયમાં અભ્યાસ કરે છે અને ઉકાઈ સ્વામી નારાયણ મંદિરની હોસ્ટેલમાં રહે છે



જયારે તેમનો સગીર વયનો દિકરો યોગેશ કોઈને પણ કઈ જાણ કર્યા વગર કે કોઈ અગમ્ય કારણોસર ક્યાંક ચાલ્યો ગયો હતો કે પછી કોઈ ઈસમ અગમ્ય કારણોસર અપહરણ કરી નાસી જઈ ગુનો કર્યો હતો, જયારે હોસ્ટેલમાંથી કયાંક જતો હતો ત્યારે તેમના દિકરાએ કાળા કલરનું જેકેટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ હતી તેવું પોલીસને જણાવ્યું હતું. બનાવ અંગે દલપતભાઈ ગામીત નાંએ ઉકાઈ પોલીસ મથકે સગીર વયના દીકરો ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application