Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરાછા ઝોન વિસ્તારમાં કોલેરાનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું

  • January 03, 2024 

સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ જગદીશ નગર સોસાયટીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પીવાના પાણીમાં ડ્રેનેજના પાણી ભળી જતાં કોલેરાના દર્દી દેખાતા પાલિકા તંત્ર દોડતું થયું છે હાલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેનના વોર્ડ નં.15 (કરંજ-મગોબ)માં આવેલા જગદીશ નગર સોસાયટીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે.




ડ્રેનેજ લાઈનનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જવાને કારણે આ વિસ્તારમાં પાંચથી છ જણાને કોલેરા થવાને કારણે રહેવાસીઓ ગભરાઈ ગયા છે. જગદીશ નગરમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાની વાત બહાર આવતા પાલિકા તંત્ર દોડતું થયું છે. હાલમાં વરાછા ઝોનના વહીવટી તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લેવાની સાથે-સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને એક ટીમ જગદીશ નગરમાં સ્ટેન્ડ બાયમાં મુકવામાં આવી છે. યુદ્ધસ્તરે ડ્રેનેજના લીકેજની સમસ્યા દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. જયારે બપોરે લીકેજની સમસ્યા દુર કરવાની સાથે જ સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા કોલેરાના રોગચાળાની સ્થિતિને ધ્યાને રાખીને સમગ્ર સોસાયટીમાં છેલ્લા બે દિવસથી ટેન્કર દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્થાનિકોને બોરિંગના પાણીનો ઉપયોગ ન કરવા અંગે પણ અપીલ કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application