Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માનસિક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર વ્યાજખોર મહિલા સહિત છ સામે ગુનો દાખલ

  • September 29, 2023 

ગાંધીનગર જિલ્લાના રાંધેજાનો યુવક રિક્ષા ચાલક 10થી 20 ટકાના વ્યાજ ચક્રમાં ફસાયો હતો અને વ્યાજખોરો દ્વારા રૂપિયા માટે માનસિક ત્રાસ આપીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવતી હતી. છેવટે આ મામલે મહિલા સહિત છ વ્યાજખોરો સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવની વિગત એવી છે કે, રાંધેજામાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ભરતભાઇ વિષ્ણુભાઇ રાવળે ફરિયાદ નોંધાવી હતી કે, દોઢ વર્ષ અગાઉ તેમને રૂપિયાની જરૂર પડતા પેથાપુર ખાતે રહેતા પ્રવિણસિંહ કાનાજી ચાવડા પાસેથી ટુકડે ટુકડે એક લાખ રૂપિયા લીધા હતા અને તેનું દર મહિને 30 ટકા વ્યાજ તથા મુડીનો હપ્તો ચૂકવતા હતા.



અત્યાર સુધી અઢી લાખ રૂપિયા જેટલી રકમ તેમને ચૂકવી આપી છે. જે રકમ ચૂકવવા માટે અમદાવાદ રાણીપ ખાતે રહેતા ઉષાબેન ભરતભાઇ પટેલ પાસેથી એક વર્ષ અગાઉ 50 હજાર લીધા હતા અને તે પેટે દોઢ લાખ પણ ચૂકવી દિધા હતા. તેમજ રંગપુર ખાતે રહેતા સુરભા પાસેથી 1.30 લાખ લીધા હતા અને જેના પેટે 3.90 લાખ રૂપિયા ચૂકવી દિધા હતા. ત્યારબાદ રાંધેજાના કનુભાઇ પટેલ પાસેથી 60 હજાર લીધા હતા અને તેનું વ્યાજ ભરી મુડી પણ પરત કરી હતી તેમ છતા 60 હજારની ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ વ્યાજના ચક્રોમાંથી બહાર નિકળવા છ મહિના અગાઉ વાસણ ગામના જીતુભાઇ વાઘેલા પાસેથી 50 હજાર લીધા હતા અને મહિને પાંચ ટકા લેખે વ્યાજ ચૂકવી દિધું હોવા છતા ઉઘરાણી કરે છે રાંધેજાના દપાજી ઠાકોર પાસેથી પણ દસ હજાર 20 ટકા લેખે લીધા હતા અને તેનું વ્યાજ સહિત 12 હજાર ચૂકવી દિધા હતા તેમ છતા આ શખ્સો વ્યાજનું વ્યાજ ગણીને સતત ઉઘરાણી કરી ધમકીઓ આપે છે જેને લઇ પેથાપુર પોલીસે આ છ વ્યક્તિઓ સામે ગુજરાત નાણા ધિરનાર અધિનીયમ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application