Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજના ચોર્યાસી ગામે અજાણ્યા વાહન અડફેટે બાઈક ચાલકનું મોત નિપજ્યું

  • October 09, 2023 

સુરતનાં કામરેજના ચોર્યાસી ગામ નજીક અકસ્માતમાં એક ઈસમનું મોત નિપજ્યું પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી  અનુસાર, કામરેજના ચોર્યાસી ગામ નજીક નેશનલ હાઇવે પર વાવ ગામના 44 વર્ષીય જતીન ભીખુભાઈ પટેલ જેઓ વિજય હોટેલ પાસે આવેલ કટમાં બાઈકનો ટર્ન લઈ રહ્યા હતા. તે દરમિયાન પુરઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલક જતિનભાઈને અડફેટે લીધા હતા. જેને પગલે જતિન ભાઈ રોડ પર પટકાયા હતા અને માથાના ભાગે અને શરીરે નાની-મોટી ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જતીનભાઈને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે તેઓને મરણ જાહેર કર્યા હતા. અકસ્માત અંગે કામરેજ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application