Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આઝાદીની ઉજવણીને યાદગાર બનાવવા માટે ૧૨મી ઓગસ્ટે સવારે ૭:૦૦ કલાકે સયાજી ગ્રાઉન્ડ વ્યારા ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

  • August 11, 2024 

‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા દ્વારા તારીખ ૧૨ ઓગસ્ટ ૨૦૨૪ને સવારે ૭:૦૦ કલાકે સયાજી ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે સયાજી ગ્રાઉન્ડ ખાતેથી નીકળી સુરતી બજાર, રામા રીજન્સી, જૂના બસ સ્ટેન્ડ થઈને ફરી સયાજી ગ્રાઉન્ડ પરત ફરશે. આ ભવ્ય તિરંગા યાત્રા થકી વ્યારા નગર સહીત તાપી જિલ્લાનું વાતાવરણ દેશ પ્રેમમાં રંગાઈ જશે. આઝાદીની ઉજવણીને યાદગાર બનાવવા તેમજ લોકોમાં દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનો સહભાગી થાય તે માટે વ્યારા નગરપાલિકાએ નગરજનોને અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે, તારીખ ૧૩મી ઓગસ્ટે સોનગઢ નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application