Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ : ઈદે મિલાદ નિમિત્તે ગાઈડલાઈનને ધ્યાને રાખીને ઝુલુસ કાઢી ઉજવણી કરાઈ

  • October 20, 2021 

આ વર્ષે ગુજરાતમાં ઈદે મિલાદ નિમિત્તે સરકારે જૂલુસ કાઢવા માટી લીલીઝંડી આપતા ભરૂચ-અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ભરૂચમાં ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખીને ઝુલુસ કાઢી તહેવારની ઉજવણી કરી હતી. જેમાં વાલિયા તાલુકાનાં ડહેલી ગામમાં વસતા મુસ્લિમ બિરાદરોએ પણ ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે મદીના મસ્જિદથી તળાવ ફળિયા સુધી નાના બાળકો અને મોટાઓએ કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખીને ઝુલુસ કાઢી તહેવારની ઉજવણી કરી હતી. નબીપુર જુમ્મા મસ્જિદ ખાતે કુરાનખાનીનું આયોજન કરાયું હતું. ત્યારબાદ નબીપુર મદરસએ અલવીયુલ હુસૈનીના ખાતેથી જુમ્મા મસ્જિદના પેશ ઇમામ સૈયદ ગુલામરસુલ કારંટવીના હસ્તે ઇસ્લામી પરચંદનું ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારબાદ જૂલુસ નિકળ્યું હતું જે ગામના મુખ્ય માર્ગો પર ફરી પયગંબર સાહેબની શાનમાં દરૂદો સલામ અને નાત શરીફ પઢતા પઢતા જુમ્મા મસ્જિદના મુખ્ય દ્વારે આવી જુલુસની પુર્ણાહુતી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application