Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદાનાં ચોરવણી ગામે કરંટ લાગતાં યુવકનું મોત

  • July 17, 2024 

નવસારીનાં વાંસદા તાલુકાનાં ચોરવણી ગામે એક યુવક મોટર ચાલુ કરવા વીજ લાઈનમાં તાર નાંખતો હતો ત્યારે અકસ્માતે વીજ કરંટ લાગતા તેનું મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચોરવણી ગામે કુંદમાળ ફળિયામાં રહેતો યોગેશ મહાદુભાઈ વરેઠા (ઉ.વ.25) સોમવારે સવારે ઘરની બાજુમાં આવેલી ક્યારીમાં ભાતની રોપણી કરવાની હોય અને તેમાં પાણી ન હોવાથી નાના ભાઈ અજય સાથે મોટર ચાલુ કરતો હતો.


તે સમયે લાલજીભાઈ કાકડીયાભાઈ રાઉતનાં ખેતરની બાજુની કોતર પાસેનાં કુવામાં માટેર મુકી તેના વાયર નજીકથી પસાર થતી વીજ કંપનીની વીજ લાઈન પર નાંખવા યોગેશ વરઠા વીજ પોલ પર ચડ્યો હતો અને તેણે એક વાયર તારમાં નાંખી દીધો હતો અને બીજો વાયર નાંખવા જતા તેને અકસ્માતે કરંટ લાગ્યો હતો અને તે વીજપોલ પરથી નીચે પડ્યો હતો. તેને 108  એમ્બ્યુલન્સમાં વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતાં ત્યાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application