Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિજલપોરમાં યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • September 29, 2023 

નવસારીમાં વિજલપોરના આનંદનગરમાં રહેતા શ્રમજીવી યુવકે કોઇ અગમ્ય કારણસર ભાડાના મકાનમાં આપઘાત કરી લેતાં ચકચાર મચી હતી. મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશ અલીરાજપુરના સખારામ ગાર્ડાભાઇ ડોડવાએ જલાલપોર પોલીસ મથકે જાણ કરી કે આનંદનગરમાં સુવાલાલ પ્રજાપતિના ભાડાના મકાનમાં રહેતા બાપસિંગ ઉર્ફે ભાકેશ અમરસિંહ દોડવા (ઉ.વ.22) મુળ રહે અલીરાજપુર મધ્યપ્રદેશ નાંએ ગત તારીખ 26 સપ્ટેમ્બરના રોજ સાંજે 6.30 પહેલા કોઇ અગમ્ય કારણસર એકલો હતો ત્યારે ફાંસો ખાઇ જીવન ટુકાવી લીધું હતુ. ઘટનાની પોલીસમાં જાણ થતા વધુ તપાસ એ.એસ.આઇ. ટાઉન બીટ કરી રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application