Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢની જેકે પેપર મિલના હોદ્દેદારો અને કોન્ટ્રાકટરો કામદારોનું લોહી ચૂસીને કામ કરાવતા હોવાની રજુઆત સાથે કામદારોએ કામ બંધ કરીને વિરોધ નોંધાવ્યો

  • October 23, 2021 

સીપીએમ-જેકે પેપર મિલના હોદ્દેદારો અને કોન્ટ્રાકટરો કામદારોનું લોહી ચૂસીને કામ કરાવતા હોવાની રજુઆત સાથે કામદારોએ કંપનીમાં મોરચો માંડ્યો હતો.

 

 

 

 

સોનગઢના ઉકાઈ માર્ગ પર આવેલ સીપીએમ-જેકે પેપર મિલ કંપનીના હોદ્દેદારો તથા કોન્ટ્રાકટરો કામદારનું લોહી ચૂસીને શ્રમ કરાવે છે અને જ્યારે પોતાના કરેલા શ્રમની કિંમત કામદારો માંગે છે ત્યારે તેમને શ્રમના મૂલ્યથી વંચિત રાખવામાં આવે છે પોતાના શ્રમ દ્વારા પોતાનું લોહી રેડીને કંપનીને ચલાવનાર આ કામદારોનો અવાજ કંપનીના હોદેદારો સાંભળતા નથી તથા આ કામદારોના અધિકારો માટે સતત સંઘર્ષ કરી રહેલ લેબર યુનિયન ગુજરાત શ્રમિક સંગઠન જ્યારે આ સર્વે કામદારો માટે માંગ કરી રહ્યું છે કે,એમને 20 ટકા બોનસ આપવામાં આવે ત્યારે નફફટ અને જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી અને સીપીએમ-જેકે પેપર મિલ-સોનગઢ,કોન્ટ્રાક્ટ એસોસિયશનના પ્રમુખ જયું સિંદે નામક વ્યક્તિ કોન્ટ્રાક્ટરોને ખોટી રાહ બતાવીને કામદારોનું શોષણ કરી રહ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

 

 

 

 

 

કોન્ટ્રાક્ટ એસોસિયશનના પ્રમુખ જયું સિંદે નામક વ્યક્તિ કામદારોનું શોષણ કરી રહ્યો હોવાના આક્ષેપો કરાયા

તેમજ કામદારો જ્યારે પોતાના લોહીના શ્રમના નાણાં માંગે છે ત્યારે જણાવે છે "તમને શું આખી મીલ આપી દઈએ" અને કામદારો જ્યારે પોતાના લેબર અધિનિયમ હેઠળના અધિકારો માંગે છે ત્યારે આ કોન્ટ્રાક્ટ એસોસિયશનનો પ્રમુખ જયું સિંદે ખોટા ખોટા આક્ષેપો મૂકી ગમે તેમ પ્રકારે કામદારોને તેમના અધિકારોથી વંચિત રાખવાનું ષડયંત્ર સતત કરતો આવેલ છે તથા કામદારોના આઠ કલાકના શ્રમના મૂલ્યથી પણ વંચિત રાખે છે અને આદિવાસીઓનું શોષણ કરે છે છતાં સીપીએમ-જેકે પેપર મિલના સંચાલકો આવા વ્યક્તિને છાવરે છે અને આવા લોકો કામદારોના શ્રમના બદલામાં એમનું શોષણ કરી રહ્યા હોવાનું કામદારોએ જણાવ્યું હતું.

 

 

 

 

ત્યારે શુક્રવારે ગુજરાત શ્રમિક સંગઠન સાથે જોડાયેલ સર્વે કામદારોએ જેકે પેપર મીલ કંપનીમાં કામ બંધ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને આગામી દિવસોમાં સીપીએમ–જેકે પેપર મીલ કંપનીના સંચાલકો દ્વારા કામદારોને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવશે અને લેબર કાયદાનો અમલ કરવામાં નહિ તો ગુજરાત શ્રમિક સંગઠન દ્વારા જન આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application