Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તરબૂચ અને ભજીયા ખાધા બાદ ફૂડ પોઇઝનિગ થતા મહિલાનું મૃત્યુ

  • December 30, 2022 

આ અંગેની વધુ વિગત મુજબ જુનાગઢ તાલુકાના કેરાળા ગામમાં રહેતા મહિલા તેમનું નામ ઉષાબેન ભનુભાઈ સોલંકી ઉંમર વર્ષ ચાલીસ અને તેના જ પરિવારના અન્ય બે સભ્યોએ ગત તારીખ 26 ના તરબૂચ અને ભજીયા આરોગ્ય હતા.




ત્યાર બાદ ઉષાબેન અને તેના પરિવારના બંને સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તેઓને ખૂબ જ ઉલ્ટીઓ થવા લાગી હતી જ્યારે ઉષાબેનની તબિયત વધુ લથડતા તેઓને પ્રથમ જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં માટે દાખલ કરાયા હતા ત્યારે તેની તબિયત વધુ બગડતા એમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાનું  જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.



આ અંગે તાલુકા પીએસઆઇ એસએ ગઢવીએ જણાવ્યું હતું કે તરબૂચ આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગ થતા એક મહિલાનું મોત થયું છે જ્યારે પરિવારના અન્ય બે સભ્યોની તબિયત પણ બગડતા ઉલ્ટી થઈ હતી અને બંને સભ્યોની સારવાર દરમિયાન તેની તબિયતમાં સુધારો થઈ ગયો હતો. ફૂડ પોઈઝનના લીધે મહિલાના મોતના બનાવથી તેના પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. આ અંગે તાલુકા પોલીસના એ.એસ.આઈ.એ વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News