વ્યારા ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેંકની શાખામાં માર્ચ ૨૦૧૯ દરમિયાન ઉર્વશીબેન મહેન્દ્રભાઈ ઢોડીયા (ઉ.વ.૨૯., રહે.રેલવે સ્ટેશન રોડ, સહકારી જિન પાસે, પ્રેમ નગર, વ્યારા)ની સીઆરઓ તરીકે ફરજ બજાવતી હતી.
જે ફરજ દરમિયાન બેંકમાં લોન લેનારાઓ ઉર્વશી ઢોડીયાનાં સંપર્કમાં આવતા હોય ગ્રાહકોની મદદનાં નામે KYC સાથે લોન અરજીઓ સબમીટ કરી લોનની રકમ જમા થયા બાદ લોન લેનારા ગ્રાહકોનાં ખાતામાંથી રોકડ રકમ ઉપાડીને તેનો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કરી ૮૨ જેટલા લોન ખાતેદારના હપ્તાની રકમ, લોન ક્લોસ કરવાની રકમ અને લોન પુરી કરવાની રકમ મળી કુલ રૂપિયા ૨૨,૧૯,૭૫૭/-ની છેતરપિંડી કરી હતી. ત્યારબાદ બેંકે તેના વિરૂદ્ધ ફરજ મોકુફનો હુકમ કર્યો હતો અને તારીખ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૪નાં રોજ બેંકનાં વિજિલન્સ ઓફિસરે વ્યારા પોલીસ મથકે સીઆરઓ ઉર્વશી ઢોડીયા સામે બેંક અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કર્યાની ફરિયાદ આપી હતી. જેની જાણ થતા ઉર્વશી ઢોડીયા ફરાર થઈ હતી. અઢી માસ બાદ મંગળવારે ઉર્વશી મહેન્દ્રભાઈ ઢોડીયા વ્યારા સયાજી સર્કલ નજીક ઉભી હોવાની તાપી એસ.ઓ.જી.નાં હેડ કોન્સ્ટેબલ કમલેશ વળવી અને રાજેન્દ્ર ચિત્તેને બાતમી મળતા સયાજી સર્કલ નજીકથી પકડી લીધી હતી અને ગુન્હાનાં કામે વ્યારા પોલીસનાં હવાલે કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500