Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ડોલારા ગામે પત્ની છોડી જતા પતિએ જીવન ટુકાવ્યું

  • October 01, 2022 

વ્યારાના ડોલારા ગામે પત્ની છોડીને જતા રહેતા પતિએ આપઘાત કરી જીવન ટુકાવ્યું હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે નોંધાયો છે, મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના ડોલારા ગામના તાડ ફળીયામાં રહેતો રાજુભાઈ ઉમરીયાભાઈ કોટવાળીયા (ઉ.વ.૩૯) નાને તેની પત્ની છોડીને જતી રહેતા રાજુભાઈને મનમાં લાગી આવતા ટેન્શનમાં આવી જઈ મોડીરાત્રે તાડફળીયામાં આવેલ પોતાના ઘરમાં અંદરના માળના આડિયાના લાકડા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત લીધો હતો.બનાવ અંગે જનતાબેન ઉમરીયાભાઈ કોટવાળીયાની ફરિયાદના આધારે વ્યારા પોલીસ દ્વારા બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application