Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોમાસા પૂર્વે સમારકામનું કામ હાથ ધરવામાં આવતાં સમગ્ર નવી મુંબઈમાં આગામી તા.24મે પાણી પુરવઠો બંધ

  • May 21, 2022 

મોરબે ડેમથી દિઘા મુખ્ય પાણીની પાઇપ લાઇન તેમજ ભોકરપાડા જળ શુદ્ધિકરણ સેન્ટર ખાતે ચોમાસા પૂર્વે સાર સંભાળ તથા સમારકામનું કામ હાથ ધરવામાં આવશે. આથી મંગળવાર તા.24 મેના રોજ ભોકરપાડા જળ શુદ્ધિકરણ સેન્ટર ખાતે પાણી પુરવઠો બંધ રહેશે. તેના અંતર્ગત નવી મુંબઇમાં એટલે કે બેલાપુર, નેરુળ, તુર્ભે, વાશી, કોપર ખૈરણે, ઘણસોલી, એરોલી વિસ્તારમાં તે દિવસે સાંજે પાણી મળશે નહિં. આ સાથોસાથ તે પછીના દિવસ બુધવારે ઓછા દબાણથી પાણી પુરવઠો થશે. આથી નાગરિકોએ અગાઉથી પાણી ભરી શમવું જરૂરી છે.




આ સિવાય આ દરમિયાન મહાનગર પાલિકાના ક્ષેત્રમાં પાણીની પાઇપ લાઇન પર નળ જોડાણનું તેમજ સિડકો ક્ષેત્રમાં કામાઠે તથા ખારઘર નોડમ ખાતે નવી મુંબઇ મહાનગર પાલિકા દ્વારા થનારા પાણી પુરવઠો બંધ  રહેશે. હકીકતમાં ચોમાસુ શરૂ થયા બાદ પાણીની પાઇપ લાઇન પર કામ કરવા અનેક અડચણ ઉભી થાય છે. આથી ચોમાસા પૂર્વે એટલે કે ઉનાળામાં પાણી પુરવઠા સંદર્ભેનું કામ કરી લેવાય છે. ભોકરપાડા જળશુદ્ધિકરણ સેન્ટર ખાતે તા.24ના રોજ પાણી પુરવઠો બંધ રહેશે. તેના અંતર્ગત નવી મુંબઇ પાલિકા ક્ષેત્રમાં બેલાપુર, નેરુળ, તુર્ભે, વાશી, કોપરખૈરણે, ઘણસોલી, એરોલી પાણી પુરવઠો બંધ રહેશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application