Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરહદી વિસ્તારની આશ્રમ શાળામાં થયું પાણી-પાણી, 201 વિધાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા, વરસાદને કારણે શાળા બે-ત્રણ દિવસ માટે રહેશે બંધ

  • July 11, 2022 

મહારાષ્ટ્ર-ગુજરાત સરહદી વિસ્તારમાં આવેલા અક્કલકુવા તાલુકાનાં અંતરિયાળ દેવ નદીનાં કિનારે આવેલ વડફળી સરકારી આશ્રમ શાળાની બાજુમાં આવેલ દેવ નદીની પુર આવતા શાળા પરિસરમાં સમગ્ર પાણીની સ્થિતિ સર્જાઈ છે. જયારે રવિવારે સવારે 9.30 વાગ્યાનાં સુમારે વિદ્યાર્થીનાં છાત્રાલયમાં પૂરનો ભર્યા જતા 201 આદિવાસી વિદ્યાર્થીઓ પૂરના પાણીમાં ફસાયા હતા.




જોકે શાળાનાં શિક્ષકોએ જીવ બચાવ્યો સવારેથી બપોર સુધી રેસ્ક્યૂ ઓપરેશન કર્યો વિદ્યાર્થીઓ બહાર કાઢવામા આવ્યા હતા અને 201 વિધાર્થીઓને સલામત નજીકનાં સરકારી હોસ્પિટલ સ્થળે ખસેડવામાં આવ્યા છે. તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વાલીઓ વિદ્યાર્થીઓને લેવા આવ્યા છે અને વિદ્યાર્થીઓને ઘરે મુકવામાં આવશે. પ્રોજેક્ટ ઓફિસર જણાવ્યું હતું કે, સંભવિત વરસાદને કારણે શાળા બે-ત્રણ દિવસ માટે બંધ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application