Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભુંડવા ખાડીનાં પુલ પર પાણી ફરી વળ્યું : સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ 5 કલાક સુધી બંધ રહ્યો

  • July 13, 2022 

ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસી રહેલાં ભારે વરસાદનાં પગલે ભુંડવા ખાડીના પુલ પર વરસાદી પાણી ફરી વળતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ 5 કલાક સુધી વાહન વ્યવહાર માટે બંધ થઇ ગયો હતો. ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદને લઇને ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાતા ઘણા માર્ગ બંધ કરાયા છે.




જોકે ગતરોજ ઝઘડિયા તાલુકાનાં રાજપારડી નજીક અંકલેશ્વર રાજપલા વચ્ચેના ધોરીમાર્ગ પર ભુંડવા ખાડીના નાળા પરથી પાણી ફરી વળતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બંધ થઇ ગયો હતો. રાજપારડી નજીકથી પસાર થતી ભુંડવા ખાડી પરનું નાળુ ખુબ નીચુ હોવાથી ચોમાસામાં વધારે વરસાદ થતાં ઘણીવાર નાળા પરથી પાણી વહેતુ હોય છે.




જયારે પુલ પરથી પાણી વહેતાં હોવાથી બંને તરફ વાહનોની કતાર લાગી ગઇ હતી. નાળાની સામે પાર અટવાયેલા કેટલાક રાહદારીઓ રેલવે ટ્રેક પર થઇને જતા આવતા નજરે પડતા હતાં. ​​​​​​​ભુંડવા ખાડીના આ નાળા પરનો તેમજ બંને તરફનો માર્ગ કેટલાક સમયથી મોટા પ્રમાણમાં ધોવાઇ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application