Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vyara : વ્યારાના યુવકે સગીરાને લગ્નની લાલચ આપી ભગાવી લઇ જતા પોલીસ ફરિયાદ

  • January 04, 2022 

વ્યારાના યુવકે સગીરાને લગ્નની લાલચ આપી ભગાવી લઇ જતા સગીરાની માતાએ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી. મળતી માહિતી મુજબ વ્યારાના શંકર ફળીયામાં રહેતો અનિલ ઉર્ફે લાલીયો ઉર્ફે અક્કી જયંતિભાઇ રાવળ નાનો ગત તા.૨૬મી ડીસેમ્બર ૨૦૨૧ નારોજ નગરમાંથી સગીરાને ભગાવી લઇ ગયો હતો.



બનાવ અંગે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે,સગીર વયની દીકરી ઉ.વ.-૧૭ વર્ષ ૨ માસ નાની તા.૨૬/૧૨/૨૦૨૧ ના રોજ ઘરમાં હતી તે દરમ્યાન ફળિયામાં રહેતો અનિલ ઉર્ફે લાલીયો ઉર્ફે અક્કી જયંતિભાઇ રાવળ નાનો સગીર વયની છોકરીને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પટાવી અપહરણ કરી લઇ ગયો હતો. વ્યારા પોલીસે તા.૧લી જાન્યુઆરી ૨૦૨૨ નારોજ ફરિયાદના આધારે અનિલ ઉર્ફે લાલીયો ઉર્ફે અક્કી જયંતિભાઇ રાવળ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application