Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોલકાતામાં બળાત્કાર અને હત્યાની ઘટનાનાં સંદર્ભમાં ‘લક્ષણાત્મક વિકૃતિ’ શબ્દનાં ઉપયોગ પર અફસોસ વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે

  • September 02, 2024 

કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાથી માનવતા લજવાઈ છે. આવી ક્રૂર ઘટનાથી માનવતા લજવાઈ છે તેમ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રવિવારે ઋષિકેશ સ્થિત એઈમ્સમાં કહ્યું હતું. આ સમયે તેમણે મમતા બેનરજી અને કપિલ સિબલ પર પ્રહાર કર્યા હતા અને તેમને માફી માગવા કહ્યું હતું. કોલકાતામાં બળાત્કાર અને હત્યાની ઘટનાના સંદર્ભમાં 'લક્ષણાત્મક વિકૃતિ' શબ્દના ઉપયોગ પર અફસોસ વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, આવી ટીપ્પણીઓ આપણી પીડા વધારે છે અને આપણા ઘાયલ અંતરાત્મા પર મીઠું ભભરાવવાનું કામ કરે છે.


તેમણે કહ્યું કે, માનવતા લજવાઈ જાય તેવી ઘટનાઓ થાય છે ત્યારે કેટલાક અવાજો આવે છે, જે ચિંતાનું કારણ બને છે. આ અવાજો માત્ર આપણી પીડા વધારે છે. આ વાતો સંસદના સભ્ય, વરિષ્ઠ વકીલ કરે ત્યારે તે વધુ દોષપૂર્ણ હોય છે. આવા ભયંકર વિચારો માટે કોઈ બહાનું હોઈ શકે નહીં. હું આવા ગેરમાર્ગે દોરાયેલા લોકોને પુનઃ વિચાર કરવા અને જાહેરમાં માફી માગવા વિનંતી કરું છું તેમ ઉપરાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું. તેમણે કપિલ સિબલ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, આ ઘટનાઓ એવા પ્રસંગો નથી, જેને રાજકીય દૃષ્ટિકોણથી જોવામાં આવે. આ રાજકીય દૃષ્ટિકોણ ખતરનાક હોય છે. કોલકાતામાં જે પણ કંઈ થયું તે જવાબદારીના દાયરામાં આવે છે. તેના માટે સમાજ પણ જવાબદાર છે. સમાજ તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં. આ ઘટના સરકાર અથવા રાજકીય પક્ષોનો મામલો નથી. આવી ઘટનાઓમાં બધા જ હિતધારક પક્ષોએ સાથે મળીને એક મંચ પર આવવાની જરૂર છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News