Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદાનાં કણધા ગામે નિવૃત BSF જવાને રોગથી કંટાળી પોતાના ઘરમાં ગોળી મારી આપઘાત કરી લેતાં ચકચાર મચી

  • June 14, 2023 

નવસારીનાં વાંસદા તાલુકાનાં કણધા ગામમાં નિવૃત જવાન અસાધ્ય રોગથી કંટાળી પોતાના ઘરમાં લાયસન્સવાળી બંદૂકથી મોઢા ઉપર ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ, વાંસદાનાં કણધા ગામના માળ ફળિયામાં રહેતા રમણભાઈ સોનુભાઈ માહલા (ઉ.વ. 55) બી.એસ.એફ. (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી વર્ષ-2010ની સાલમાં નિવૃત્ત થયા હતા. જોકે તેમની પાસે બાર બોરની લાયસન્સવાળી બંદૂક હતી. રમણભાઈને વર્ષ-2009માં અસાધ્ય રોગ થયો હતો અને તેની સારવાર નવસારી સિવિલમાં ચાલતી હતી.


વર્ષ-2018માં બેંક ઓફ બરોડા વાંસદામાં પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યાં હતા. તેઓ બિમારીથી કંટાળી સોમવારનાં રોજ સવારે ઘરનાં રૂમમાં ફ્રેશ થવા જતાં પોતાની લાયસન્સવાળી બાર બોરની બંદૂક ગળાનાં ભાગે મૂકી ગોળી ચલાવતા મોત નિપજ્યું હતું. જોરથી અવાજ આવતા તેમના પુત્રએ રૂમમાં જઇને જોતા તેમના પિતા મૃત હાલતમાં અને બંદૂક તેમજ ફૂટેલા કારતૂસ નજરે પડ્યા હતા. મૃતકના પુત્ર હાર્દિક રમણભાઈ મહાલાએ વાંસદા પોલીસ કરતા લાશનો કબજો લઈ પીએમ માટે રવાના કરી આગળની તપાસ વાંસદા પોલીસ કરી રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application