Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન કચેરીના પટાવાળાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

  • July 05, 2023 

વલસાડ જિલ્લા સેવા સદન-૨માં સ્થિત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન કચેરીમાં છેલ્લા ૩૯ વર્ષથી પટાવાળા તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ રણછોડભાઈ સોલંકી (ઉ.વ.૬૦,રહે.ફડવેલ,ચીખલી, નવસારી) વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા વલસાડ તાલુકા પંચાયત પાછળ આવેલા આંબેડકર ભવનમાં અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક એચ.એલ.ચૌધરીની અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ નિયામકશ્રી ચૌધરીએ જણાવ્યું કે, કચેરીમાં આવતા અનેક અરજદારો તેમજ લાભાર્થીઓને દિલીપભાઈ પોતાના કાર્યકાળ દરમિયાન મદદરૂપ થયા હતા. સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ અનુસૂચિત જાતિના લોકો સુધી પહોંચે તે માટે પ્રયત્નશીલ હતા. નિવૃત્તિ બાદ તેમનુ જીવન સુખ, શાંતિ, સમૃધ્ધિ અને નિરોગીમય રહે તેવી શુભેચ્છા પાઠવું છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application