Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બંધ મકાન માંથી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • August 30, 2021 

વલસાડ નજીકના છરવાડા ગામના નવપુરા ફળિયામાં રહેતા, સુમનભાઈ પટેલ જે રીક્ષા ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. સુમનભાઈ ગતરોજ સવારના સમયે રીક્ષા ભાડે ફેરવવા માટે નીકળ્યા હતા અને તે સમયે તેમની પત્ની વાસંતીબેન પણ ઘર બંધ કરી શાકભાજી ખરીદી કરવા માટે ગયા હતા. જે બાદ દિન-દહાડે અજાણ્યા ચોરટાઓએ મકાનના પાછળના ભાગે આવેલી ગ્રીલ વાળી બારી ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ ચોરટાઓએ ઘરના ભોય તળિયે તથા પ્રથમ માળે આવેલા રૂમના કબાટનો સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો અને કબાટની તિજોરીને કોઈક સાધન વડે તોડી તેમાંથી રૂપિયા 1,87,457/-ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ભાગી ગયા હતા.

 

 

 

 

ત્યારબાદ વાસંતીબેન શાકભાજી લઈને ઘરે પરત આવી દરવાજો ખોલતા જ જોયું તો ઘરમાં બધો સામાન વેર-વિખેર હાલતમાં હતો જે બાદ તેમને ચોરીની જાણ પતિ સુમનભાઇને કરી હતી અને બનાવ અંગેની જાણ ડુંગરા પોલીસને કરાતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વાસંતીબેનએ અજાણ્યા ચોરટાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.             


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application