Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડના ભીલાડ ખાતે ઉભી કરાઈ ચેકપોસ્ટ, અન્ય રાજ્યમાંથી ગુજરાત આવતા લોકોનું થર્મલ સ્ક્રીનિગ અને વેક્સિન સર્ટી ચેકિંગ કરાશે

  • September 05, 2021 

ગુજરાત બહાર કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરના કેસો વધતા ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનું આંતરરાજ્ય બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરી ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

 

 

 

 

 

મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેરળ અને મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇ ગુજરાત રાજ્યનું છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ભીલાડ ખાતે મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર પર આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા રાજ્ય બહારથી આવતા લોકોનું થર્મલ સ્ક્રીનિગ અને વેક્સિન સર્ટી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

 

 

 

 

 

કોઈ સંકશાસ્પદ વ્યક્તિ જણાય આવે તો સ્થળ પર જ તેવા યાત્રીઓ તાત્કાલિક RTPCR ટેસ્ટ કરાશે તેની પણ તૈયારી આરોગ્ય વિભાગે રાખી છે. રાજ્યમાં કોરોનાના કેસો ન વધે તે ધ્યાનમાં લઈ બોર્ડરનો જિલ્લો એવા વલસાડ જિલ્લાના મહારાષ્ટ્રને અડીને આવેલ 4 બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરી કોરોનાને લઈ ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં વાહનોની કતારો જોવા મડી હતી ત્યારે હાલ કોરોનાને લઈ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી કામગીરી કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application