Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વીજપોલ પર કામગીરી કરી રહેલ વાયર મેનને વીજકરંટ લાગતા ઘટના સ્થળે મોત

  • June 11, 2022 

વલસાડનાં હિંગાળાજ ગામમાં વીજપોલ પર કામગીરી કરી રહેલ વાયરમેનને વીજકરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડનાં હિંગળાજ ગામ ખાતે આવેલા ભાઠીમોરા ફળિયામાં આવેલા યશવંત ઠાકોરભાઈ ટંડેલના મકાનમાં વીજ લાઈન ખોરવાતા મકાન માલિકે સ્થાનિક વાયરમેન મનહર ભંડારીને લાઈન રિપેર કરવા બોલાવ્યો હતો. જોકે યશવંત ટંડેલના ઘરની લાઈન ચેક કર્યા બાદ વાયરમેન મનહર ભંડારીએ વીજપોલ ઉપર ચેક કરીને યશવંત ટંડેલનાં ઘરની બંધ પડેલો વીજ પુરવઠો કાર્યરત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.



જયારે લાઈટ રીપેર કરવા ગયેલ વાયરમેન મનહર ભંડારી નજીકમાં આવેલી વીજ લાઈનનાં સંપર્કમાં આવી જતા મનહર ભંડારીને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જોકે ઘટનાની જાણ સ્થાનિક લોકોને તેમજ 108ની ટીમના થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વાયરમેન મનહર ભંડારીને બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જયારે સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વીજ કંપનીની ટીમને કરતા વીજ કંપનીના કર્મચારીઓએ હિંગળાજ ગામનો વીજ પુરવઠો બંધ કરી મનહર ભંડારીની વીજપોલ ઉપર ફસાયેલી લાશ વીજ કંપનીનાં કર્મચારીઓને નીચે ઉતારવા જવાબદારી સોંપવામાં આવી હતી.



ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ ટીમને થતાં વલસાડ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે રૂરલ પોલીસ સ્ટેશન મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application