Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહન અડફેટે આવતાં આધેડનું સારવાર દરમિયાન મોત

  • May 14, 2022 

વડોદરાનાં પોર જી.આઇ.ડી.સી.માં નોકરી કરતા આધેડ છૂટીને ઘરે જતા હતા. તે દરમિયાન હાઇવે પર ભરૂચથી વડોદરા તરફ જવાના રોડ પર આલમગીર ગામના ગેટ પાસે કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વરણામા પોલીસે ગુનો દાખલ કરી વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, તરસાલીની સાંઇધામ પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશ ભયજીભાઇ રોહિત (ઉ.વ.46) છેલ્લા 20 વર્ષથી પોર જી.આઇ.ડી.સી.માં આવેલી માર્સ ઓર્થોપેડિક કંપનીમાં નોકરી કરે છે.



જોકે તેઓ સ્કૂટર લઇને નોકરીનાં સ્થળે અપડાઉન કરે છે તેમજ ગતરોજ રાતે નવ વાગ્યે નોકરીથી છૂટીને તે ઘરે પરત  જતો હતો. તે દરમિયાન આલમગીર ગામના ગેટ પાસે પાછળથી કોઇ અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતા તેને માથામાં તેમજ ડાબી આંખની બાજુમાં ઇજા થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application