Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : આર્થિક સંકડામણ અને કૌટુંબિક ત્રાસનાં કારણે વૃદ્ધાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • August 07, 2022 

વડોદરાનાં વાઘોડિયા રોડ પર રહેતા વૃદ્ધાએ આર્થિક સંકડામણ અને કૌટુંબિક ત્રાસના કારણે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. બનાવ અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે રહેતા અને હાલમાં વાઘોડિયા રોડની વિરપુર નગર સોસાયટીમાં રહેતા 65 વર્ષના જયેશભાઇ જીવણભાઇ પંડયા નિવૃત્ત જીવન ગુજારે છે.




જોકે સવારે તેમના પરિવારજનો ઉઠયા ત્યારે તેઓ ફાંસો ખાધેલી હાલતમાં હતા. જેથી પરિવારજનોએ પાણીગેટ પોલીસને જાણ કરી હતી. પાણીગેટ પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતકે એવો આક્ષેપ કર્યો હતો કે, કૌટુંબિક ત્રાસ અને આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો છે. બનાવ અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application