Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update : મહુવાના કુમકોતર નજીક અંબિકા નદીના પાણીમાં પાંચ વ્યક્તિઓ ડૂબ્યા

  • August 31, 2021 

મહુવા તાલુકાના કુમકોતર નજીક અંબિકા નદીમાં ન્હાવા ગયેલ સુરતના એક જ મુસ્લિમ સમુદાયના પરિવારના પાંચ વ્યક્તિઓ ડૂબી જવાનો બનાવ બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં એક વ્યક્તિની લાશ મળી છે તો અન્ય યુવાનના લાશની શોધખોળ ચાલી રહી છે.પોલીસ સહિતનુંતંત્ર ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

પ્રાથમિક પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જીલ્લાના મહુવા તાલુકાના કુમકોતર જોરાવર પીર ખાતે અંબિકા નદીમાં ન્હાવા જતા ડૂબી જવાના બનાવો બનતા જ રહે છે ત્યારે વધુ એક ગોઝારો બનાવ બનવા પામ્યો હતો. આજરોજ સુરતના એક પરિવાર જોરાવરપીર ખાતે દર્શન કરવા આવ્યા હતા તે દરમિયાન જોરાવર ખાતે આવેલ અંબિકા નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ડૂબી જવા પામ્યા હતા. જેમાં એક વ્યક્તિની લાશ મળી આવી હતી જ્યારે અન્ય ચાર વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે.

 

 

 

 

ફાઇય ટીમ દ્વારા હાલ ઘટના સ્થળ પરથી એક મહિલાનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે. ઘટનાસ્થળે મહુવા પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે ધસી આવી તપાસ હાથ ધરી છે.આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.(ઝીલકુમાર દ્વારા મહુવા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application