Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં ભગવાન બિરસા મુંડા ના જન્મદિવસ નિમિતે 11 ફૂટની પ્રતિમાનું અનાવરણ

  • November 15, 2021 

ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિતે સોમવારે વ્યારા કોલેજ રોડ પર નગરના પ્રવેશ દ્વાર પાસે જનજાતિ ગૌરવ સમિતિ દ્વારા 11 ફૂટની ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થાપન કરવામાં આવશે જે માટે વ્યારા સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ વાર્તા રાખી ધર્મ જાગરણ વિભાગના પ્રાંત સહ સંયોજક રાહુલ સિમ્પી, વીએચપી જિલ્લા પ્રમુખ તથા પ્રદેશ આદિજાતિ મોરચા ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ કુંવરે કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

 

 

 

 

જેમાંરાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, અખીલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના ગુજરાત રાજસ્થાન ના સંગઠન મંત્રી વિજયકુમારજી, જિલ્લા સંઘચાલક પ્રોફેસર વસંત ગામીત સહીત રાજકીય તથા વિવિધ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહેશે. સોમવારે મૂર્તિ અનાવરણ પૂર્વે વ્યારા અંબાજી મંદિરથી સવારે 9-00 કલાકે શોભા યાત્રા પણ કાઢવામાં આવશે.જે જુના બસ સ્ટેન્ડ, કોલેજ રોડ થઇ સભા સ્થાને પહોંચશે.

 

 

 

 

આ કાર્યક્રમમાં માજી પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા, સંસદ પરભુભાઈ વસાવા, મહુવા ધારાસભ્ય મોહન ઢોડિયા ,માજી મંત્રી કાંતિ ગામીત અને વ્યારા એપીએમસી ચેરમેન, પ્રદેશ આદિજાતિ મોરચા અધ્યક્ષ, સુ.ડી.કો.બેંક ચેરમેન સહીત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application