Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરનાં કોસમડી ગામની ઘરેણાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર

  • March 08, 2025 

અંકલેશ્વરનાં કોસમડી ગામની અયોધ્યાપુરમ સામે આવેલ શ્રીધર વિલા સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.


કોસમડી ગામની અયોધ્યાપુરમ સામે આવેલ શ્રીધર વિલા સોસાયટીમાં રહેતા મનીષ પ્રસાદ વશિષ્ઠ ગોંણ અને તેઓના પત્ની સવારે પોતાના ઘરના બીજા માળનો દરવાજો બંધ કરી નોકરી ઉપર ગયા હતા. જયારે તેઓના પિતા-માતા અને બહેન ઘરે હાજર હતા તે સમયે તસ્કરો મકાનના ધાબા વાટે બીજા માળે રૂમમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. બનાવ અંગેની પોલીસને જાણ કરાતાં જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application