Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરેલીના જાફરાબાદ દરિયામાં બોટ સાથે અજાણ્યું જહાજ અથડાયુ, 8 ખલાસીઓને બચાવી લેવાયા

  • December 20, 2022 

અમરેલીના જાફરાબાદ બંદરથી 40 નોટિકલ માઈલ દૂર એક માછીમારી બોટ અજાણ્યા જહાજ સાથે અથડાઈ હતી અને ડૂબી ગઈ હતી. જો કે, નજીકમાં માછીમારી કરતી અન્ય બોટના માછીમારોએ બોર્ડમાં સવાર 8 માછીમારોને બચાવી લીધા હતા.



અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરથી 40 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક અજાણ્યા જહાજ 'ધનપ્રસાદ' નામની ફિશિંગ બોટને ટક્કર મારી હતી. જેના કારણે બોટ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને તેમાં સવાર આઠ માછીમારો પણ ડૂબવા લાગ્યા હતા. જોકે, નજીકમાં જ અન્ય ફિશિંગ બોટની મદદથી આઠ માછીમારોને બચાવી લેવાયા હતા.


જાફરાબાદ ખારવા સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે 'ધનપ્રસાદ' નામની હોડી ડૂબી ગઈ છે. જ્યારે તેમાં સવાર 8 માછીમારોને બચાવી લેવાયા છે. અમારા માછીમારો દ્વારા જે જગ્યાએ બોટ ડૂબી છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ બનાવમાં મોટી દુર્ઘટના ટળી હતી. અવાર-નવાર આવી ઘટનાઓ દરિયામાં બનતી હોય છે. તેવામાં પ્રશાસન દ્વારા યોગ્ય બચાવ અંગે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ માછીમારો કરી રહ્યા છે.તેવું જાણવા મળી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News