Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાષ્ટ્રપતિ પર ઉદિત રાજનું વાંધાજનક ટ્વીટ, ભડકી BJP, મહિલા આયોગે મોકલી નોટિસ

  • October 06, 2022 

અધીર રંજન બાદ હવે કોંગ્રેસ નેતા ઉદિત રાજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરીને વિવાદ ઉભો કરી દીધો છે. તેમણે દ્રૌપદી મુર્મુ પર ઘણા આરોપો લગાવ્યા છે. ઉદિત રાજની આ ટિપ્પણી બાદ બીજેપી નેતા સંબિત પાત્રાએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે ઉદિત રાજ દ્વારા જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ચિંતાજનક છે. કોંગ્રેસના પહેલા નેતાએ આવું નથી કર્યું પરંતુ આ પહેલા પણ ઘણા નેતાઓ કરી ચુક્યા છે. તો બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ ઉદિત રાજને નોટિસ મોકલીને માફી માંગવા કહ્યું છે.



કયા નિવેદન પર થયો વિવાદ?

વાસ્તવમાં, ઉદિત રાજે ટ્વીટ કર્યું કે રાષ્ટ્રપતિ કહે છે કે 70 ટકા લોકો ગુજરાતનું મીઠું ખાય છે. જાતે મીઠું ખાઈને જીવન જીવો તો ખબર પડશે. આ જ ટ્વીટમાં ઉદિત રાજે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરીને લખ્યું કે આવા રાષ્ટ્રપતિ કોઈ પણ દેશને ન મળવા જોઈએ.




મારું નિવેદન દ્રૌપદી મુર્મુજી માટે અંગત છે, કોંગ્રેસ પાર્ટીનું નહીં: ઉદિત રાજ

ઉદિત રાજે ટ્વીટ કરીને લખ્યું કે મારું નિવેદન દ્રૌપદી મુર્મુજી માટે અંગત છે, કોંગ્રેસ પાર્ટીનું નથી. મુર્મુજીને ઉમેદવાર બનાવ્યા અને આદિવાસીઓના નામે વોટ માંગ્યા. રાષ્ટ્રપતિ બન્યા પછી શું આદિવાસી નથી રહ્યા? દેશના રાષ્ટ્રપતિ છે તો આદિવાસીઓના પ્રતિનિધિ પણ. રડવું ત્યારે આવે છે જ્યારે લોકો SC/STના નામે પદ પર આવે છે અને પછી ચૂપ થઈ જાય છે.




રાષ્ટ્રીય મહિલા આયોગે નોટિસ મોકલી

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ટ્વીટ કર્યું કે દેશની સર્વોચ્ચ સત્તા અને પોતાની મહેનતથી આ પદ પર પહોંચેલી મહિલા વિરુદ્ધ આ એક પ્રકારનું ખૂબ જ વાંધાજનક નિવેદન છે. ઉદિત રાજે એમના અપમાનજનક નિવેદન માટે માફી માંગવી જોઈએ. તેમને નોટિસ મોકલવામાં આવી રહી છે.




સંબિત પાત્રાએ કર્યો પલટવાર

ભાજપના નેતા સંબિત પાત્રાએ ઉદિત રાજ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે જે પ્રકારના શબ્દ તેમણે રાષ્ટ્રપતિજી માટે વાપર્યા છે તે ચિંતાજનક છે,આ કોઈ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસે રાષ્ટ્રપતિજી માટે આવા શબ્દોનો ઉપયોગ કર્યો હોય. અગાઉ અધીર રંજન ચૌધરીએ પણ કર્યું હતું. અમે તે પણ સાંભળ્યું છે.



શહજાદ પૂનાવાલાએ પણ ઉદિત રાજ પર પ્રહારો કર્યા

બીજી તરફ ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે માત્ર ટ્વીટ કરવાથી કે આ અંગત નિવેદન નહીં ચાલે. કોંગ્રેસે અમને જણાવવું જોઈએ કે શું તેઓ ઉદિત રાજ પર તેમના આદિવાસી વિરોધી નિવેદન માટે પગલાં લેશે કે નહીં. મુર્મુજી પર અજય કુમાર અને અધીર રંજન પછી આ ત્રીજી વાંધાજનક ટિપ્પણી છે! આ એક સંયોગ નથી! આ કોંગ્રેસની માનસિકતા છે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application