Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંડેસરામાં ઝાડા-ઊલટીના કારણે 5 વર્ષીય બાળકનું મોત

  • October 26, 2021 

ઉધનાના પાંડેસરા ગણેશ નગરમાં રહેતા જવાહર રામનો 5 વર્ષીય પુત્ર સની ઉર્ફે કરણને ગતરોજ સવારે ઝાડા ઊલટી થવા માંડ્યા હતા અને ત્યારબાદ બાળકની તબિયત વધુ લથડતાં તેની માતા રાનીદેવી તેને નજીકના ક્લિનીક પર લઈ ગઈ હતી. જ્યાં બાળકની તબિયત નાજુક જણાતા તેને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી તેથી રાનીદેવી સનીને લઈ સિટીબસમાં સિવિલ હોસ્પિટલ જવા માટે નિકળ્યા હતા. સિટીબસ મજુરાગેટ પાસે પહોંચી ત્યાં સુધીમાં તો સની બેભાન થઈ ગયો હતો અને જયારે સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરમાં ફરજ પરના તબીબે સનીને તપાસી બાળકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પાંડેસરા પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી જોકે બાળકના પિતા જવાહરભાઈ પાસે ફોન ન હોવાથી પુત્રનાં મોતનાં સમાચાર તેમને 6 કલાક બાદ મળ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application