Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દોઢ દિવસનાં ગણપતિ વિસર્જન માટે આવેલ બે યુવકો નદીમાં તણાતા તંત્ર દોડતું થયું

  • September 10, 2024 

નડિયાદ તાલુકાનાં બિલોદરા ગામમાંથી પસાર થતી શેઢી નદીમાં બે યુવાનો ડૂબ્યા હોવાની બિના બની છે. ગણપતિ વિસર્જન માટે આવેલા બે યુવકો શેઢીના વહેણમાં તણાયા હતા. કોઈ પણ જાતની પોલીસ સુરક્ષા વિના ગણપતિ વિસર્જન ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની છે. મંજીપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી રવિકુંજ સોસાયટી અને એસ.ટી. નગર વિસ્તારમાં કેટલાક લોકો આજે દોઢ દિવસે ગણપતિ વિસર્જન માટે બિલોદરા પાસેની શેઢી નદીના કાંઠે પહોંચ્યા હતા.


વિસર્જન વખતે મંજીપુરાના સંદીપભાઈ મકવાણા (ઉ.વ.૩૭) અને નડિયાદના એસ.ટી. નગર વિસ્તારમાં જય અંબે સોસાયટીમાં રહેતા કેતન મહેરીયા (ઉ.વ.૩૨) શેઢી નદીના વહેણમાં તણાયા હોવાની માહિતી મળી છે. આ બંને યુવકો વિસર્જન વખતે નદીમાં ડૂબ્યા છે. આજના વિસર્જન દરમિયાન અત્રે શેઢી નદીના કાંઠે જિલ્લા પોલીસ દ્વારા કોઈ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો ન હતો. જ્યાં લોકો જીવના જોખમે વિસર્જન કરી રહ્યા હતા દરમિયાન આ બિના બની છે. હાલ તો આ બંને યુવકોની શોધખોળ ચાલી રહી છે. ત્યારે પરીવારજનોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. બીજી તરફ ઘટના સ્થળે પોલીસ, ફાયર વિભાગ સહિત પ્રશાસનની ટીમ સ્થળ પર દોડી આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News