Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાસિક ખાતે અગ્નિવીરની તાલીમ સમયે તોપગોળો અચાનક બ્લાસ્ટ થતાં બે તાલીમાર્થીએ જીવ ગુમાવ્યા

  • October 13, 2024 

મહારાષ્ટ્રનાં નાસિક ખાતે અગ્નિવીરની તાલીમ સમયે બે દિવસ પહેલા ઈન્ડિયન ફિલ્ડ ગન (તોપ)માંથી ગોળો ફેંકતી વખતે અચાનક બ્લાસ્ટ થતાં બે તાલીમાર્થીએ જીવ ગુમાવ્યા હતાં, જેમાં જામકંડોરણા પંથકનાં આંચવડ ગામનાં વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.20) પણ શહીદ થતાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.


આ ઘટના અંગે નાસિક આર્ટીલરી સેન્ટરનાં અધિકારીએ જણાવ્યું કે, શહીદ વિશ્વરાજસિંહ ગોહિલ ગત એપ્રિલ 2024 માં અગ્નિવીર તરીકે હૈદ્રાબાદ ખાતે સિલેકટ થઈન તાલીમ માટે નાસિક આવ્યો હતો. ગત ગુરૂવારે બપોરે 12 વાગ્યે દેવકાલી ફાયરિંગ રેન્જમાં તોપથી ગોળા ફાયર કરવાની પ્રેક્ટિસ  સમયે બ્લાસ્ટ થતાં વિશ્વજીતસિંહ સહિત ત્રણ અગ્નિવીરો ગંભીર રીતે ઘવાયા હતાં. જેમાં વિશ્વજીતસિંહ અને બીજા એક સાથી દારનું મૃત્યું નિપજયું હતું. આ ઘટનાની તપાસ માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. બન્ને અગ્નિવીરોનાં પરિવારને દુર્ઘટના વીમો અને અન્ય નિયત સુવિધા પૂરી પાડવામાં આવશે. મૃતક વિશવરાજસિંહનાં પરિવારમાં માતા-પિતા અને એક નાનો ભાઈ છે. પિતા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application