Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ભરૂચ જિલ્લાના બે માર્ગોને સલામતી હેતુ બંધ કરાયા

  • September 18, 2023 

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ નદીમાં પાણી વધતાં નીચાણ વાળા વિસ્તારોમાં આવેલાં રોડ પર પણ નદીના પાણી ફરી વળ્યાં છે. આથી ભરૂચ જિલ્લામાં ભરૂચનો શુકલતીર્થ-ઝનોર રોડ તેમજ ઝગડીયા તાલુકાના ઉમ્મલાથી પાણેથા વેલુગામ રોડ પર પાણી ફરી વળતાં સાવચેતી અને સલામતી હેતુ આ માર્ગ પણ બંધ કરાયો છે તેમ માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રી અનિલ વસાવાએ જણાવ્યું હતું. વધુમાં તંત્ર એ અપીલ કરી હતી કે, આ રોડ પર આવેલાં ગામનાં લોકોએ શક્ય હોઈ તો ત્યાં સુઘી આ રોડ પરથી અવરજવર ટાળવી જોઈએ. ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે સરાહનીય કામગીરી કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News