Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાના ગંગાધરા ખાતે રહેતા ચીક્ષા ચાલક બાપુજી ધનગરના બે કિડનીઓનું દાન થકી બે વ્યક્તિઓને મળશે નવજીવન

  • September 14, 2023 

અંગદાન મહાદાનની ઉકિતને સાર્થક કરતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન થયું હતું. મુળ મહારાષ્ટ્રના પોહરે તાલુકાના ચાલિસગાવ વતની અને પલસાણા તાલુકાના ગંગાધરા ગામની રહી સોસાયટી ખાતે રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવતા ૫૨ વર્ષીય બ્રેઈનડેડ બાપુજી તાન્હા ધનગરની બે કિડની દાન પ્રાપ્ત થયું હતું. નવી સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી ૪૩મું અંગદાન થતા જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર બાપુજી તાન્હા ધનગર તા.૦૯/૦૯/૨૦૨૩ના રોજ રીક્ષા ચલાવીને સાંજે ૧૦:૩૦ ઘરે આવ્યા હતા.



રીક્ષામાંથી ઉતરીને અચાનક પડી ગયા હતાં. જેના કારણે માથાનાં ભાગે ઇજા થઇ હતી. ત્યારબાદ જમીને સુઈ ગયાં હતાં. સવારે બેભાન હાલતમાં હોવાથી નજીક્ના પલસાણાની સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જયાં હોસ્પિટલનાં તબીબોના કહેવાથી તા.૧૦/૦૯/૨૦૨૩ વાગે સવારે ૦૯:૫૩ વાગે ૧૦૮માં ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સધન સારવાર બાદ તા.૧૨/૦૯/૨૦૨૩ના રોજ ૧૨:૩૮ AM વાગે ન્યુરોલોજીસ્ટ, ન્યુરો સર્ઝનએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.



ધનગર પરિવારના સભ્યોને સોટોની ટીમના, આર.એમ.ઓ., નર્સિગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા કાઉન્સેલર અંગદાનનું મહત્વ સમજાવ્યું. તેમની પરિવારમાં પત્ની માંડાબાઇ તથા ત્રણ પુત્રીઓમાં વર્ષાબેન, પુજાબેન, દિપાલીબેન તથા પુત્ર વૈભવભાઈ ધનગર છે. તા.૧૨મીએ સવારે બ્રેઈનડેડ બાપુજીના બે કિડનીઓનું દાન સ્વીકારીને I.K.D. હોસ્પિટલ-અમદાવાદ લઈ જવામાં આવી હતી. આમ સુરત નવી સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટના માર્ગદર્શન હેઠળ નવી સિવિલ હોસ્પિટલના નર્સિગ, સિકયુરીટી સ્ટાફ સૌના સહિયારા પ્રયાસોના પરિણામે આજે ૪૩મું સફળ અંગદાન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application