Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ નજીક ટ્રક અડફેટે ગાયસવાર ગામનાં બે લોકોના કમકમાટીભર્યું મોત

  • May 30, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં સોનારપાડા ઇદગાહની સામે સુરત-ધુલિયા નેશનલ હાઈવે પર એક અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક પર સવાર બંને લોકોનાં ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર મોત નિપજ્યા હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધવામાં આવ્યો છે.


પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢ  તાલુકાનાં ગાયસવાર ગામનાં નિશાળ ફળિયામાં રહેતા મનીષભાઈ છગનભાઈ ગામીત (ઉ.વ.46) અને સુરજીભાઈ ઈસરીયાભાઇ ગામીત (ઉ.વ.60) નાઓ આજરોજ સવારે 11 વાગ્યાના અરસામાં જમીન બાબતે વ્યારા કોર્ટમાં તારીખ હોવાથી વ્યારા ખાતે ગયા હતા જે બાદ બજાજ કંપનીની CT-100 X બાઈક નંબર GJ/26/AD/1450 પર પરત ફરતા સોનારપાડા ઇદગાહની સામે નેશનલ હાઈવે નંબર-53 ઉપરથી પસાર થઇ રહ્યા હતા.


તે દરમિયાન ટ્રક નંબર GJ/06/BT/8139ના ચાલકે પોતાના કબ્જાનો ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મનીષભાઈ ગામીતની બાઈકને અડફેટમાં લઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મનીષભાઈનાં માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું અને તેમની સાથે સવાર સુજીભાઈ ગામીત નાઓને પણ માથાથી લઈ પગ સુધી છુંદી નાખતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.આ અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન લઇ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. બનાવવા અંગે અજયભાઈ ગામીતએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ફરાર થયેલ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application