Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા, ભૂકંપની ઊંડાઈ 65 કિમી

  • May 27, 2023 

મહારાષ્ટ્રના પાલઘરમાં ઉપરા ઉપરી ભૂકંપના બે આંચકા અનુભવાયા છે, જેના કારણે લોકોમાં ખળભળાટ મચી ગયો છે. આ આંચકા આજે એટલે કે શનિવારે સાંજે અનુભવાયા છે. પહેલો ભૂકંપ સાંજે 5.15 કલાકે આવ્યો હતો, જેની તીવ્રતા 3.3 આંકવામાં આવી છે. જ્યારે લોકોના મનમાં હજુ પ્રથમ ભૂકંપનો ડર ગયો ન હતો ત્યારે 13 મિનિટ બાદ બીજો ભૂકંપ આવ્યોહ તો. બીજો ભૂકંપ સાંજે 5.28 કલાકો અનુભવાયો હતો.



પાલઘરમાં આવેલા ભૂકંપના આંચકાની તિવ્રતા ઓછી હોવાના કારણે કોઈ નુકસાનીના આહેવાલો સામે આવ્યા નથી. જોકે ઉપરા ઉપરી આવેલા ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. જોકે હાલ અહીં પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે.દરમિયાન ગઈકાલે 26 મેએ જાપાનની રાજધાની ટોક્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આંચકા ગઈકાલે એટલે કે શુક્રવારે બપોરે લગભગ 3.33 કલાકે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપની ઊંડાઈ 65 કિમી હતી. જોકે ભૂકંપના કારણે કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application