Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં નારણપુર ગામની સીમમાંથી પસાર થતા હાઇવે ઉપરનાં ગંભીર અકસ્માતમાં બે’નાં મોત

  • December 06, 2023 

ઉચ્છલનાં નારણપુર ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલથી નિઝર જતા સ્ટેટ હાઇવે ઉપર એક ટ્રાવેલ બસનાં ચાલકે પગપાળા રસ્તો ક્રોસ કરી રહેલ બે શખ્સને અડફેટે લેતાં ગંભીર ઈજાને કારણે બંનેનાં સાથળ ઉપર મોત નિપજ્યું હતું.



મળતી માહિતી અનુસાર, ઉચ્છલનાં નારણપુર ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલથી નિઝર જતા સ્ટેટ હાઇવે ઉપર વડપાડા નેશુ ફાટા પાસે ગતરોજ બપોરે 12:50 વાગ્યાના સુમારે શ્રી હરી ટ્રાવેલ્સની બસ નંબર GJ/26/T/5143ના ચાલકે પગપાળા રસ્તો ક્રોસ કરી રહેલા જાલસીંગભાઇ મધુભાઇ વસાવા (ઉ.વ.33, રહે.જામલી ગામ, નવી જામલી ફળિયું, તા.ઉચ્છલ) અને પુનીલાભાઇ ખાત્રુભાઇ કાથુડ (ઉ.વ.45, રહે.જુના વડગામ, તા.ઉચ્છલ) નાંઓને અડફેટમાં લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બંનેનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જયારે બસ સ્થળ ઉપર મુકી બસ ચાલક ભાગી છુટ્યો હતો. અકસ્માત અંગે ફુલસીંગ વસાવા (રહે.જામલીગામ, નવી જામલી ફળિયુ, તા.ઉચ્છલ)ની ફરિયાદનાં આધારે અકસ્માત કરી ભાગી છુટેલા બસનો અજાણ્યા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application