Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટમાં હાર્ટએટેકનાં કારણે બે’નાં મોત નિપજયા

  • November 08, 2023 

રાજ્યમાં હાર્ટએટેકથી મોતની ઘટનાઓ થંભી જવાનું નામ લેતી નથી. જયારે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વધુ બે આધેડનું હાર્ટએટેકથ મૃત્યુ નિપજતા પોલીસે કાગળો કરી તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે, ગાયત્રીનગર મેઈન રોડ પર હસનવાડીમાં રહેતા આનંદભાઈ કાંતીભાઈ પરમાર (ઉ.વ.50) ઘરે બેભાન થઈ જતાં સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. જાણ થતા ભક્તિનગર પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાગળો કર્યા હતા.



તેમણે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી ધરાવતા આનંદભાઈ મોબાઈલની દુકાન ચલાવતા હતા. જયારે હાર્ટએટેકથી મોત થયાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. બીજા બનાવમાં રૈયા ગામમાં રહેતાં સુરેશભાઈ વલ્લભભાઈ ગોહેલ (ઉ.વ.48) સવારે ઘરે એકાએક બેભાન થઈ જતા સિવીલમાં ખસેડાયા હતા જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. સુરેશભાઈને હાર્ટએટેક આવી ગયાનું ગાંધીગ્રામ-ર પોલીસની તપાસમાં ખુલ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઢોલરાના પાટીયા પાસે ચા’ની કેબીને ઢળી પડતા આધેડનું મૃત્યુ નિપજયું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application